Monday 7 October 2013

Navdurga Prashnavali Chakra

તમારા જીવનની પરેશાની અને સવાલોનો જવાબ સરળતાથી મેળવી શકશો. 
આ બહુ ચમત્કારી અને સિદ્ધ યંત્ર છે.


નવદુર્ગા પ્રશ્નાવલી ચક્રની ઉપયોગ વિધિ નીચે મુજબ છે-
જેને ફણ પોતાના સવાલોનો જવાબ અથવા પોતાની પરેશાનીઓનો ઉકેલ શોધવો હોય તે પહેલાં પાંચવાર ऊँ ऐं ह्लीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનું જાપ કર્યા બાદ એકવાર આ મંત્રનું જાપ કરે-
 या देवी सर्वभूतेषु मातृरुपेण संस्थिता।
        नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ત્યારબાદ આંખો બંદ કરી પોતાનો સવાલ પૂછવો અને માતા દુર્ગાનું ધ્યાન કરતા પ્રશ્નાવલી ચક્ર પર કર્સર ફેરવતા રોકી દેવું. જે ખાના પર કર્સર રોકાય તે ખાનામાં લખેલો જવાબ જ તમારા પ્રશ્નનો જવાબ હશે.

1- ધન લાભ થશે અને માન-સન્માન પ્રાપ્ત થશે.

2- ધન હાનિ અથવા કંઈક અનહોની થવાની શક્યતા છે.

3- મિત્ર અથવા કોઈ પ્રિય વ્યક્તિથી મિલન થશે જેથી મન ખુશ થઈ જશે.

4- કોઈ બિમારી અથવા રોગ થવાની શક્યતા છે જેથી અત્યારે કાર્યને ટાળવું જ યોગ્ય રહેશે.

5- જે કાર્ય તમે વિચાર્યું છે તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે જેથી ચિંતામુક્ત થઈ જવું.

6- થોડા દિવસ કાર્ય ટાળી દો, તેમાં કોઈ ક્લેશ અથવા અણબનાવ થઈ શકે છે, જેનું વિપરિત પ્રભાવ થઈ શકે છે.

7- તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. જલ્દી સુંદર અને સ્વસ્થ પુત્ર થવાના યોગ છે. આ સિવાય તમારી અન્ય ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. 

8- કોઈપણ વિચાર આવતો હોય તો તેને ત્યજી દેજે કારણ કે તેમાં મૃત્યુ થવાની શંકા છે.

9- સમાજ અને સરકાર તરફથી સન્માન પ્રાપ્ત થશે. તમારું વિચારેલું કાર્ય સારું છે. 

10- તમને ધારેલું લાભ થશે જેથી કાર્ય શરૂ કરી શકો છો.
 
11- તમે જે કાર્ય માટે વિચારી રહ્યા છો તેમાં હાનિ થઈ શકે છે.

12- તમારી મનોકામના પૂર્ણ થશે અને પુત્રથી પણ તમને લાભ પ્રાપ્ત થશે. 

13- શનિદેવની ઉપાસના કરવી કાર્યો આવતી બાધાઓ દૂર થશે.

14- તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. ચિંતાઓ દૂર થશે અને સુખ-સંપત્તિ પ્રાપ્ત થશે.

15- આર્થિક તંગીને કારણે તમારા ઘરમાં સુક-શાંતિ નથી. એક મહિના બાદ સ્થિતિ બદલાશે જેથી ધેર્ય અને સંયમ રાખવો. 

No comments:

Post a Comment